CHUmBANA

નવેમ્બર 5, 2018

મેં તને ચુંબન કર્યું હતું

એટમ બોંબથી ફટૅલા

શહેરના રસ્તા વચ્ચે

એટોમિક રાખના

સ્વાદમા

તારી સુક્કી લિપ્સ્ટિકનુ ચાટણ

સાંજના નમેલા

સૂર્યથી ફ્લાયેલી લાલીમા જેવું

આંખમા

વળગી રહ્યું હતું

મોનેના બગીચામાં સૂર્યમુખી નીચે

વાસના

ફટેલી લાશ જેવી ફેલાઇ હતી

તારા ચુંબનમાંથી

મારો શસક્ત ઇશ્વર જીવી

ગયો હતો

આકાર વગરનું મોઢું બબડતુ હતું,

આકાર વગરની આંખો નીહાળતી હતી.

પડછાયો

સ્ટીલ લાઇફ જેવું એડીમાં વળગી રહ્યો હતો,

કનેરીની ગુફામાં

કટાયેલો પ્રેમ

ઉકેલાતા ફરી પાછો ઉજળો થયો

મારા ચુંબનમાં

તારી વિસ્ફારિત આંખો

૧૬૪૫માં સેલ્ફ પોર્ટ્રેઈટમાંની

સ્ત્રીના બળી ગયેલાં સ્તન

ફરીથી તારામાં લળૂંબતા

તારા કપાળે કરેલું

ચૂંબન ભૂંસી નાખે બધી સંસ્મૃતિ

,એક ચુંબન

અમેરિકાના મેડીકેર પ્લાન જેવું ભરપૂર છે.

૧૫૯૭માં ખોલી નાખેલી તને

હવે લોકો એન્ટિક સ્વરૂપે જૂએ છે

તારા હોઠમાં ચોંટી રહેલું ચુંબન

ફરી ઓળખાતા

લાગણીમાં વસંત ફોરી ઉઠે છે,

મ. સ. યુનિવર્સિટીના

કેબીનમા ગુજરતી વિભાગના

વડા સુ.જોશીએ કરેલું અવૈધ ચુંબન

મને હજું નડે છે.

હું ચોફેરથી આવું છું મૃત

અને કળી સાત સ્તરે.ઉઘાડો.

૧૧/૫/૨૦૧૮ ૧૧.૫૧ એ એમ.


પ્રશ્નોપનિષદ – સંજુ વાળા

જુલાઇ 31, 2018

છેવટે મારા વલવલાટે મને રસ્તા પર ધકેલ્યો
‘ને મેં વટેમાર્ગુને પૂછ્યું :
કવિતા શું એ કહી શકે ?
એણે હાંફભર્યા, ભાંગ્યાતૂટ્યા શબ્દોમાં કહ્યું : સાહેબ, ચાલી ચાલીને બહુ થાક્યો છું. મારી ભૂખ પણ મરી પરવારી છે.

તેં કવિતા સાંભળી છે?
સાહેબ, મારો પડાવ બહુ દૂરનો છે.
વધુ થાક ના લાગે એવી જડીબુટ્ટીની જરૂર છે.
પવન એનો સફેદ ખેસ ફરકાવતો રહ્યો
એ આગળ ને આગળ ચાલતો રહ્યો

પછી હું એક ઘોડાગાડી સાથે દોડ્યો
અને દોડતા દોડતા જ પૂછ્યું
કવિતા……
એટલું જ બોલ્યો ત્યાં
ચાલકની બાઘાઇમાં ઘોડાનો તરવરાટભર્યો પ્રત્યુત્તર સેળભેળ થઈ ગયો.
ડાબલાનો અવાજ અને કોરી ધરીનો કિચુડાટ પણ છેવટે ઓગળી ગયા

મેં એક પંખીને ઉડતા રોક્યું.
તને કવિતા વિશે કોઈ ગતાગમ છે?
પંખીએ આર્દ્ર અને કરુણાસભર ચાંચ ખોલી. થોડી પાંખો ફફડાવી. ત્રણ વખત આકાશ તરફ માથું ઊંચું કર્યું
અને સમજીને ઊડી ગયું કે
એની વાત હું સમજી શકયો નથી.

મને થયું હજી પ્રયત્ન કરું
ને, મને પૂછ્યું.
તો એક સામટા મારા કૈંક જન્મોએ બહુવિધ દ્રુષ્યપટલ આંખ સામે ખોલી દીધાં

ગાલિબ અને કાલિદાસને મારી સાથે સોગઠે રમતા
ખુસરોને માછલી પકડતા
કબીરને કોઈ પૂરાની કિતાબનું એક એક પાનું ફાડી, હવનકુંડમાં આહૂતિ દેતા
જોયા

મેં મીરાંને રસોઈ કરતા અને
તુકાને પંચાયતનો વેરો ઉઘરાવવામાં મશગુલ ભાળ્યાં…

કમરથી આગળ ઝૂકેલા વ્યાસ-વાલ્મિકીને પંખીઓનાં ગીત સાંભળતાં
અને કાંત-ઉમાંશંકરને બાલ-દાઢી કરાવ્યા પછી
ગ્રામોફોન પર કોઈ મધુર સ્વરમાં ઠુમરી-દાદરામાં તલ્લીન ઓળખ્યા.

હવે
બન્ને હાથથી માથું ઝાલી
વિસામાના પથ્થર પર
આશ્ચર્ય અને કૂતુહલમાં ગરકાવ
કૈ વરસોથી બેઠો છું.

મારી પોતિકી મૂંઝવણ લઈને
કવિતા એટલે શું ?

( સૌજન્ય : શબ્દસૃષ્ટિ – મે-2018)
સંસ્ક્રુત ભાષામા પ્રશ્નોપનિષદ અથર્વવેદમા વણાયેલો પાઠ છે. હિન્દુ ઉપનિષદન ૧૦૮ મણકામાં એનો નમ્બર ૪ છે.પ્રષ્નોપનિષદમા કુલ ૬ પ્રષ્ન પૂછાયા છે.તો વિશ્વ સાહિત્યમાં પબ્લો નેરુદાનો કવ સંગ્રહ

“પ્રશ્નો”પણ પાઠકને તર્કપાર શુધ્ધ કાલ્પનિક્તા અને અંતર્દૃષ્ટિ તરફ વાળે છે.નચિકેતા જેવા અનુભવમાંથી ઉદભવતા નેરૂદાના પ્રશ્ન વૈશ્વિક, સરરિયલ અને લાગણી હચમચાવે તેવા છે.બન્ને સર્જકો ગોપનિયતાને ફંફોસે છે.પોતાની રીતે.નેરૂદાએ એ તપાસ હયતિ માટે કરી છે.સંજુ વાળાએ એ તપાસ કવિત વિશે કરી છે.કવિતા હયાતિ જેટલી જ ગોપનિય છે. એટલે તો સંસ્કૃત કવિ કહે છે કે ખૂલ્લા સ્તન કર્તાં ભીના પાલવ તળે સંતાયેલા સ્તન વધારે સરાહનિય છે.

કવિતાનો અનુવાદ જેમ એક સ્વરૂપાંતર છે,તે જ રીતે કવિતાનો આસ્વાદ પણ એક પ્રક્રિયા છેાસ્વાદ વિલિયમ કર્લોસ વિલિયમ કહે છે તેમ “શબ્દથી બનાવેલું યંત્ર છે.” ( મશિન મેડ ઓફ વર્ડ્સ) યંત્ર જે રીતે નિશ્ચિત છે તે જ રીતે એ કામ કરે છે,કવિતા પણ પાઠકના મન પર, સમજમાં એવું જ કામ કરે છે.પાઠકનું પ્રૂથ્થકકરણ યંત્ર જેવું છે એને છુટુ પાડી નક્કી કરાય છે,યંત્ર કેવી રીતે કામ કરે છે.તે જ રીતે કવિતાને આકાર્ સ્વરૂપ,દળ,ભાષકીય બંધારણ અને ઐતિહસિક વલણ દ્વારા છુટ્ટી પાડીએ તો એના સતનું જ્ઞાન થાય છે.

કવિતાનો આસ્વાદ કયા કારણે કરાવાય છે એના સિધ્ધાંતો છે ?અને જો હોય તો કવિતાને કોઈ તાત્વિક વિચાર છે ? તો એને ભાષા,માનસ, કળા વા એસ્થેટિક વિષયક તત્વિકતા સાથે સાંકળી શકાય કે સાંકળવી પડે ખરી ? તો કવિતાનો આસ્વાદ એટલે શું?કેવળ વિસ્તાર કે અનુવાદ સમ અનેક સંદર્ભો ?ટી એસ એલિયટ કવિતા કયો અનુભવ છે ? (વ્હોટ ઇઝ ધ પોએટિક એક્ષ્પિરિયન્સ ?)પ્રશ્ન દ્વારા ચર્ચા માંડે છે. આનો ઉત્તર એ પ્રશ્નોના જવાબમાં છે,”કવિત શું છે ?” ” કવિતા શા માટે છે ?”.અને “કાવ્યાનુભવ એટલે શું અથવા એ કયો ?”આ ગુંચવણમાં જ કવિ અને વિવેચકો ગૂંથાયેલા કે ગુંચવાયેલાં રહ્યા છે પ્લેટો કાળથી. બીજા પ્રશ્નના જવાબમાં પ્લેટોએ કવિઓને સમાજ બહાર મૂક્યા હતાં,આદર્શ વિચાર ધારામાં.

કાવ્યાસ્વાદ વિસ્તાર પણ છે અને ઇતર સાથેનું આદાનપ્રદાન પણ છે.અને તે કાવ્યની ભાષાના ઉત્ખનનથી શક્ય બને છે.ભાષા જ એવો પદાર્થ છે જે અન્ય સાથેની અસરને સમજાવે છે,ક્રિયાપ્રક્રિયા શક્ય બને છે.કવિતા સમજવી એટલે શું ? એ પાયાના પ્રશ્નને વિસ્તારવો હોયતો કહી શકાય કેસર્જનાત્મક ભાષાએ જેટલાં તત્વો ઉપયોગમાં લીધાં છે તે છૂટાં પાડી એને પચાવવા,એની વ્યાખ્યા બાંધી શકાય ખરી? મથાળા બંધાય ખરાં? એવું કરવાથી કવિતા કદાચ સંકોચાઈ જાય, સાંકડી થઈ જાય,ાને શ્બ્દશઃ અર્થઘટન પુરતી મર્યાદિત થઈ જાય. આસ્વાદ વાક્ય વિસ્તાર નથી.દરેક કાય એક સંપૂર્ણ એકમ છે,પુદગલ છે.

કાવ્યનો ઉઘાડ કશું ન મળી શકવાનો જે અજંપો વ્યપ્યો છે તેનાથી થાય છે.જ્ઞાનની ભૂખમાં ધકેલાયેલ વ્યક્તિ સમજ્યા વગર નચિકેતા જેવું વર્તે છે,પણ જેને પ્રશ્ન પૂછાયો છે તે ભણેલો ગણેલો છે કે નહીં તે સૂચિત નથી,પણ એને પૂછાયેલા પ્રશ્નમાં એનું અજ્ઞાન છતું થાય છે,ઉપરાંત એ સામન્ય જન છેએને કવિતા જેવા વિષયમાં રસ નથી ,આપણી સામજિક પરિસ્થિતિનું આ ચિત્ર છે. આપ્ણી સ્થિતિ પેલા નિચેએ જણાવેલા વૃધ્ધ જેવી છે જેને ખબર નથી ઉપર ઈશ્વરતો ક્યારનો મ્રૂત્યુ પામ્યો છે,છતાં આપણે ધ્યેય તરફ ચાલ્યા કરતાં અજાણ છીએ, માહિતિને અભાવે દોરવાયેલાં. આપણામાંથી શું ખૂટી ગયૂં છે? જ્ઞાન,માહિતિ કે સુલભતા ? પહેલા પ્રશનમાં કવિ સાંપ્રત નબળાઈ પ્રસ્થપિત કરે છે. દરેક કવિ પોતાનું સામાજિક કાર્ય કવિતા પાસે કરાવે છે. દરેક કવિતા અરિસો હોવાને કારણે એની પસે સમાજને પ્રતિબિંબિત કરવાનું કર્તવ્ય છે.અહીં ભાષા ખૂબ સ્થનિક છે.આપણી આજુબાજુ જે ઘટે છે તે અહીં અભિવ્યક્ત થાય છે, આપણો કાવ્ય રસ મરી પરવર્યો છે અને આપણે હયાતિ માટે કેન્દ્રિત છીએ ભૂક અને જડી બુટ્ટીના માગનારા આપણે બિનસાહિત્યિક થઈ ગયાં છીએ, એ સામાજિક સ્થિતિ સાંપ્રત છે,પ્રવર્તમાન છે.આપણો સાંપ્રત જરુરિયાતોથી ભરપૂર છે. વિ આર પબ્લિક ઓફ વોન્ટ અન્ડ નીડ.

બીજા પ્રશ્નમાં બધા અવાજ એકરૂપ થઈ જાય છે.અને પ્રશ્ન પણ પ્રશ્ન રહેતો નથી.આપણે ઘોળાયેલાં આસ્પ્ષ્ટ કે અચોક્કસ નાદ છીએ, ઘોડાનો માણસનો નહીં. પિકાસોનુ ગુએર્નિકા યાદ કરાવી જાય છે આ પ્રશ્ન. આપણા સંતપ્ત, દબાઈ ગયેલા સ્વરનો આ પ્રશન છે.ચાલાક બાઘાઈમાં ઘોડાનો તરવરાટ ભર્યો પ્રત્યુત્તર સેળભેળ થઈ ગયો છે”. આપણો તરવરાટ બાઘાઈથી અંજાયેલો છે. એ જ આપણી વ્યર્થતા છે. આપણી અનર્થતાનો આ પોકાર છે.આપ્ણી નિષ્ફળતાનો આ પ્રતિસાદ છે ?

ત્રીજા પ્રશ્નમાં કવિ પંખી – આપણી ઉડાઉડ કરતી બૌધ્ધિકતા ને પૂછે છેઃ કવિતા વિશે તે શું જાણે છે ? ત્રિવિધ તાપ જેવો,પ્રત્યુત્તર આપી ,પંખી પણ આપણને ના સમજ સમજી છોડી જાય છે.અને એ સમજને આપણે સમજી શકયા નથી, એ આપણી બૌધ્ધિક અનાવડત છે ? કે એ આપણી અધૂરપ છે ?આપણી પરિપૂર્ણતા અવિકસિત હશે ? આપણી હયાતિ શંકાસ્પદ કેમ હશે કે થઈ ગઈ ? આપણૂ અસ્તિત્વ એના એસેન્સને કેમ પ્રિસિડ નથી કરતૂં ?

ચોથો પ્રશ્ન આપણો પરિશ્રમ છે ,અથાગ પરિશ્રમ.આપણા એકત્વથી તરબતર આ પ્રશ્ન સહિત્યિક પરંપરાને ખોલી આપે છે. સર્જકને હિસાબે આપ્ણી પરંપરા પણ અકદાચ અનર્થ જ છે, આપણી પરંપરા બિનમહત્વની બની જાય છ કારણ આપણા કહેવાતા સમર્થ સર્જકો નકામા કર્યોમાં રચ્યાપચ્યા જણાય છે.કવિ કદાચ જે તે સર્જનકાળને એના કહેવાતાં કાર્યોથી ઓળખાવે છે ! આ કાર્ય પધ્ધતિ જ વ્યંગ છે.પરંપરાની પ્રવૃત્તિ ઘાતક છે કારણ એ ગતિ નથી , નિષ્ફળતા છે. મીરાં વાસણ ઘસે,કાંત – ઉમાશંકર બાલ દાઢી કરાવે,પછી કવિતા નહીં પણ ઠુમરી – દાદરામાં,સંગીતમા,લયકારીમાં તલ્લીન થાય તે પણ થાળીવાજા પર કંડારયેલાં.આ બધાં કવિતામાં નહીં પણ કાવ્યેતર પ્રવૃત્તિમાં રત લગે છે.આપણે આપણી પ્રજાની જેમજ ગેરમર્ગે દોરવાયેલાં રસજ્ઞ છીએ. આપણી કવિતા મરી પરવારી છે ? ફેસબુક આપણી સાહિત્યિક પરંપરાની સમૃધ્ધિ નથી કે સાતત્ય નથી.આપણૅ કટાયેલા કાટલા જેવા ઢાળેલાં છીએ ? કવિતા એટલે શું નહીં આપણે શું છીએ, કેવાં છીએ ? આપણે ટોળું છીએ કે એના ભાગ છીએ ?”ગર્મ હવા”સિનેમાનો મિર્ઝા પણ છેવટે તો ટોળાનો ભાગ થઈ જાય છે.આપણૅ સુવિધા ચોર છીએ, સર્જક નથી.આપ્ણૅ દરેક ક્ષેત્રે રાજરમત જ છીએ. ટાંટીયા ખેંચ કલાકાર છીએ. વિદેશી સાહિત્યિક સજ્જતાની ટેવ પાડી છે,રહેવાદો આપણે અન્યતર પધ્ધતિથી જ આમ પણ જીવીએ છીએ.આપણે પેલા વિસામાના પથ્થર પર આશ્ચર્ય અને કૂતુહલ હાથમાં ઝાલી રાખી ગ્રીક પૂતળા જેવું બેસી રહીએ છીઍ અને પછી પ્રશ્ન પૂછીએ, કવિતા એટલે શું? આપણી પૂતળાવસ્થા જ આપણી પરિપક્વતા છે.જૂઓ કવિ કહે છે આપણે સ્થિર થઈ ખોટકાઈ ગયેલાં યંત્ર જેવાં છીએ. આપણી ગરકાવ થયેલી, ખોવાયેલી, વિસરાયેલી,અવસ્થાને ફરી શોધવા ટહેલ નાખે છે. આ કવિતા, કવિતા માટે ભાષાનું પુનઃ ઉત્ખનન જરૂરી છે એ સુચવે છે,કદાચ આપણને આપણી ઓળખ મળે .” વ્હોટ ઇઝ ધ પોએટિક એક્ષ્પીરિયન્સ ?” ( કાવ્યાનુભવ શું છે ?) કવ્યાનુભવને રુપક (મેટાફોરિક) બનવીએ,અને એ દ્વારા સમગ્રતાને ઓળખવા આ કાવ્ય આમંત્રણ આપે છે. કવિતા એકસાથે સર્જન અને અભિવ્યક્તિ એ દ્વારા અર્થની શોધ છે. સર્જન કશીક નવ્યતા છે, પહેલાં જે કહેવાયું નથી, સ્વીકારાયું નથી,પણ અર્થની શોધ જે હયાત છે એને ફરી શોધવાનૂ છે.કવિતા અન્યતર સાથે અરસપરસ આદાનપ્રદાન કરવાનું માધ્યમ છે. ગુજરતી સાહિત્ય માટે શરમ વગર સ્વરૂપાંતર અપનાવું જરૂરી છે.અવાં કાવ્ય કવિતાની ફેરતપાસ કરવા પડકારે છે.ચાલો સંજુવાળાનો સંગાથ કરીએ, નવું સ્વરૂપ ધરીએ .ગ્રીક બાવલાં જેવું માથે હાથ મૂકી બેસી રહેવાને બદલે.અસ્તુ.

૬/૧૩/૨૦૧૮

પબ્લો નેરુદા ના બે કાવ્ય નો અનુવાદ ‘પ્રશ્ન’ સંગ્રહમાંથી.

૧)

કહે મને ,ગુલાબ નગ્ન છે

કે એ જ કેવળ એનો પહેરવેશ છે?

શા માટે વૃક્ષો સંતાડે છે

એમના મૂળની ભવ્યતા ?

કોણ સાંભાળે છે દિલગીરી

ચોરાતી મોટરગાડીની?

વિશ્વમાં છે કશું ઉદાસ

વરસાદમાં થંભેલી ટ્રેન કરતાં?

૨)

અને શું કહે છે રત્નો

દાડમના રસ સામે ઉપસ્થિત ?

શા માટે ગુરૂવાર સ્વયં બોલે છે

શુક્રવારમાં પ્રવેશ્યા પછી ?

કોણે ચીસ પાડી હતી હરખથી

જ્યારે આકાશી રંગ જન્મ્યો હતો ?

શા માટે વિશ્વ દુઃખી થાય

જ્યારે જાંબળી દેખદીધો હતો ?


ગોરડુ વેદનનું કવ્ય

જુલાઇ 2, 2018

manilaala paTela naa kaavya shu hoy chhe pitajI no aasvaad,

કવિતા સામજિક અને પ્રસંગિક છે, છતાં એમાં વેદના તરબતર છે.વેદના કવિતા નથી,સર્જનશીલતા છે.કવિતા કેવળ પ્રસંગ નથી,આપણી હયાતી નો રસળ્તો અભિગમ છે.પ્રગટીકરણ છે.કવિતા લાગણીથી નહીં શબ્દથી બને છે.કવિતામા શબ્દ પદાર્થ છે,જેમ એક પદાર્થના જુદા જુદા ઘાટ ઘડાય છે,તેવું કવિતામા સંભવે છે.કવિતાનો શબ્દ અનેકત્વ છે અને આ અનેકત્વને એકત્વ કરે તે પ્રક્રિયા,સર્જનપ્રક્રિયા.કવિતા એવું સ્વરુપાંતર (મેટામોર્ફોસિસ) છે.કવિતા સંસ્ક્રુત ભાષામાં કહેવાયેલું ક્રિડન છે,જે એક્રરૂપ થઈ રમણીય બને છે.એ રમણિયતા જ પુનઃવિસ્તાર છે.કવિતા વરંવાર થયા કરતો એસ્થેટિક અનુભવ છે.રસાસ્વાદ છે.જે કાવ્યાસ્વાદ છે.કવિ મણીલાલનું આ કાવ્ય ગોરાડુ વેદનાનું કાવ્ય છે.

સ્થાનિક પરિવેશમાંથી ઉદભવેલું વ્યક્તિ ચિત્ર જ પ્રશ્ન છેઃ શું હોય છે પિતાજી…?પોતાની હયાતીનો ઇતર અંશ શું છે ? એ પ્રશ્ન અસ્તિત્વને અન્યતર તરફ લઈ જાય છે. અન્યતર સંબંધોથી જીવતાં આપણે શું છીએ ?સંબંધોની સાઠમારી કે ગઠબંધન ?સંબંધો માટી અને મૂળીયા જેવાં જડબેસલાક છે,વિકાસ છે.કવિતા મનોવૃત્તિ અને મનભાવનની અરસપરસ છે.કવિતા કદાચ માણસ હોવાની વેદન કે સંતાપ છે ? આ કવિતા આગળની અધુરપ કે
ઊણપનો વિસ્તાર છે,વ્યાપ છે.પૂરોગામી હયાતીનો વિસ્તાર,સંબંધોની સુઝ છે.પિતામા વ્યાપેલી કે વસેલી “ગોરાડુ રેતાળ લાગણી”અતિમહત્વની સંવેદના છે.સંવેદન અને અભિવ્યક્તિનું માપ પેલી નહીં પલળૅલી માટી હશે ! આપણે સામજિક હોવાને કારણે – we are social animals -જેવાં વિધાનો આપણી સમગ્રતાને ઓળખાવે છે. આપણા સંવેદનો લાગણીના મોહતાજ છે.આપ્ણામાં સંવેદન અને લાગણી અરસપરસ છે.

આપણી ઊણપ દયા છે. ત્રિવિધ તાપથી તપતું આપણું અસ્તિત્વ મેટાફિસિકલ છે. ક્રોધી તડકો કે વિકરાળ તાપ આપણને થકવી નાખે છે.કોઈનામાં વિસ્તરેલી ખોટ ચિંતાનો વિષય છે અને હોવાના ફોર્સનું કારણ થઈ જાય છે.આપણામાં વ્યાપ્ત અનાવસ્થા આપણને બીજા વિશે વિચારવા મજ્બુઅર કરે છે, માણસ હોવાની ઊણપ તે આ હશે ?”પિતાજીની એકલતા જોઈને મોટા થઈ જઈ એમને સહાયક થઈ જવાની અદમ્ય ઈચ્છા,આપણામાં સળવળતી સ્થિર થયેલી ઘટના છે, અન્ય થઈ જવાની વેદના આ હયાતિની અપૂર્ણતા છે.

આપણી પૂર્ણતા કોઈ પ્રવૃત્તિ હશે ? તમાકુ પીવાની તલબઃ! પિતાનું ઘસઈને ખોવયેલું ખોળિયું -હવે કેવળ પડછાયો લાગે છે.-અને નહીં પણાની શક્યતા,જીવવાની જીવાડવાની વ્યથા છે.આપણી મહેનત એક પરિસ્થિતિ ,પણ અન્યતર માટેની તત્પરતા હશેને ?જીવનનું સતત્ય એકમાંથી બીજામાં પ્રવેશ છે,આ હોવું કે સ્થિત્યાંતર વેદના વ્યથાનું સ્વરૂપાંતરજને. આપણી સોસિયો-ઇકોનોમિક્સ ફેરબદલી એના અસ્તિત્વની પરંપરા- એ જ આપણી મર્યાદા પણ છે અને વિસ્તાર પણ.આ ગોરાડુ રેતાળ પોચુ અને રંગીન-સ્વરૂપ અને એમાં આવેલી તલબ આપણી પારાવારતા અને અનેકતવનો વ્યાપ છે.આપણું અન્ય ઈતર પણું અને એની સર્વાઇવલ હયાતિ જ આપણા અંતિમ અનુભવ છે,એ અનુભવને જીવ્યા કરવાના ત્રિવિધ તાપ આપણી બળતરા છે,તંબાકુના ભારવેલા અગ્નિ જેવી.

કાફકાની મેટામોર્ફોસિસ જેવી બહુવિધ શક્યતાઓ ભરેલું આ કાવ્ય આપણી માટીમાંથી આપણી સુગંધ -દુર્ગંધને લઈને આવે છે આપણી તળપદતામાં. કળા અકળ નથી પણ ઝટ બદલાઈ જનાર પદાર્થ છેઃ એ જ સ્વરૂપાંતર છે હયાતિ છે.કવિતાનો દરેક શબ્દ સ્વરૂપાંતાર છે અને હયાત છે.
૬/૨૪/૨૦૧૮


મ્રુણાલ ,હવે તો હદ થઈ ગઈ

જૂન 7, 2018

મ્રુણાલ ,હવે તો હદ થઈ ગઈ

સાલ્વા ડોર ડલીએ
ચીરેલી આંખમાથી
એક સ્વપ્ન બહાર નીકળ્યું ,
મૃઉણાલ, હવે તો હદ થઈ ગઈ
આ ગુજરતી કવિતાની
ગીત ગઝલ
નરસિંહ મીરાથી લબડેલી,લબદાયેલી,ઢીલીઢસ
શુરેશ દલાલ્ની વારસ
શુરેશ જોષિની સારગ્રાહી (સારસંગ્રાહક)બાળક,
હવે તો વળ
નવીભાતના ચણિયા પહેર,
નવાં નર્તન કર
મૃણાલ,તારી ગુજરતી કવિતા ઓથાર છે,
કે બની ગઈ ?
કે બનાવી દિધી ?
સિતાંશુભાઈને કહેજે સીંહ પર ચઢવાની જરૂર નથી
એ તો વાહન છે
ગર્જના કરવાની જરૂર છે.
એ નાદ છે.
કવિતાનો શબ્દ ગર્જના છે.
સુસવાટો છે. ફૂંફાડો છે. સૂરસૂરિયું નથી.
મ્રૂણાલ,ચાલ કવિતા નવી કરીએ.
એઝરા પાઉન્ડે કહ્યું છે એ અર્થમા નહીં.
નવ્ય મૂલ્યોમાં,નવાં પરિણામોમાં સ્વરૂપમાં,
ગજરાતી કવિતા સ્વરૂપાંતર ( મેટા મોર્ફોસિસ,કાફકા સ્વરમાં )માંગે છે.
વાંછે છે.
મૃણાલ, સિંહપર બ્રાની સાઈઝ વગરની દેવીઓ બેસે છે,
ડાલીએ ચીરેલી આંખમાંથી
અશ્રૂ નહીં (ય.ત્રિએ કહેલું)
સ્વપ્ન નીકળ્યું છે !
સ્વપ્ન જ સ્વરૂપાંતર છે .નવી ભાષા છે.
સ્વપ્ન નવ્ય આકાર છે, રંગો છે.
ઢોળાયેલાં છતાં સખત
સ્વપ્ન નવાં ઘડિયાળ છે,ઢોળાયેલાં ,રસળતાં
હમિંગ બર્ડ જેવાં મથ્યા કરતાં,
મ્રૂણાલ,હવે તો હદ થઈ ગઈ
તારી બદલાવાની તૈયારી જ નથી,
કેવી રીતે નવી બ્રા,નવી અન્ડર વેર
ને ચણિયાના નવા ડ્રેસ પહેરાવું,નવા તાલ અને ક્રિડન શીખવાડું ?
મૃણાલ,
મૃણાલ, હવે તો હદ થઈ ગઈ. ( ૫/૨૧/૨૧૧૮)

(ભાગ -૨)
મૃણાલ સાંભળ
સો વરસ પહેલાના એઝરા પાઉંડનેઃ
” તમારો અન્ત આવશે અણગમતો,”
મ્રૂણાલ,ગુજુ.વિવેચકો પૂંછડિયા ઊંદર છે.
રોજ સવારેપોતાને નગ્ન જૂએ છે
અને વિચારે છે રાત્રે પૂર્ણતઃ ખોવાઈ નથી ગયો.
આગલા દિવસના ઓથારથી સૂર્ય પણ ભારે છે,
તારૂં સમગ્ર કેવળ ઘટનાત્મક છે.
મૃણાલ સાંભળ
હવે તો હદ થી ગઈ.
એકગાન વગાડી ગાઈ આપણે ધરાશયી છીએ.એકમેકમાં
એકતાનતા આપણો વળગાડ છે.
મ્રુણાલ મ્રૂણલ
સાંભળ
ાઅપ્ણે વળી ગયાં છીએ કે બન્ને છેડા એકમેકમાં તૂટીપડ્યા છે
મૃણાલ,તું પલાંઠી વાળેલા બુધ્ધ જેવું કેવળ સ્થિર બેસી રહે છે.
અમિબા જેવું તૂટી જતાં શીખ,
એના મૂળમાંજ ગતિ છેએ,એના વિભાજનમાં નવ્ય ગતિ છે,જીવવું.
હવે યા હોમ અકરી આગળ કૂદવું નથી
ફતેહ ક્યાં છે ? મૃણાલ.
હવે તો હદ થઈ ગઈ.
તારી ગેરહાજરીમાં તને મળુ છું,
તારી વ્યર્થતામાં,
તું કોણ છું મ્રૂણાલ
તું કોણ છું મૃણાલ
મારી આંખોમાં જોજે મોટિ મળશે,ખોટાં અને ઉછેરેલાં
મૃણાલ મૃણાલ તારાં ઓથાર હવે અસહ્ય લાગે છે
ડાલિ ચિત્રો દોરવાનું ભૂલી ગયો છે
એથીતો એણે આંખ ચીરી હતી
મૃણાલ તારા ઓથાર બહાર નીકળ્યા છે
હવે તો હદ થઈ ગઈ.
(૫-૧-૨૦૧૮)


હું- # ૧

ડિસેમ્બર 25, 2017

અનુવદકની માહિતિ
નામઃ   હિમાન્શુ પટેલ
જન્મતારીખઃ   ૨૧-૩-૧૯૫૧
જન્મ સ્થળઃ     સેજકુવા,પાદરા તલુકો
વતનઃ    નાર
સરનામુઃ    1715 lisa ct hatfield PA 19440
ફોન/મોબાઇલઃ    5085887970
ઇ-મેઇલઃ    boghi55@comcast.net
વેબસાઇટઃ   ૧) https://himanshupatel555.wordpress.com/…ઓરિજિનલ કાવ્યો
૨) http://himanshu52.wordpress.com/…વિશ્વની કવિતાના અનુવાદ માટે.
અભ્યાસઃ     એમ એ ( એમ એસ યુનિ. વડોદરા)
પ્રવૃત્તિઃ    retired
ભાષાકિય જાણકારીઃ     ગુજરાતિ અને અંગ્રેજી.
[રિસર્ચ પ્રોજેક્ટ,પદવી,સ્ન્માન,પુરસ્કાર,ચંદ્રક,એવોર્ડ,પારિતોષિક અને અન્ય,
આ બધાં ક્ષેત્રમાં કશું નહીં]
અનુવાદિત પુસ્તકની વિગતઃ
૧)એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે,
( વિશ્વભરના ૨૦૦+ કાવ્યોના અનુવાદ).


અનુને મળ્યા પછીનાં કાવ્ય..૫

ડિસેમ્બર 25, 2017

ઇશ્વરી
ઉદ્વેગોથી
તને ચાહું છું.
૨)
આંધળી આંખોમાં
સાચવેલી દ્રષ્ટિથી
તને ચાહું છું.
૩)
તારા નામમાં
બોળેલી


ફ્રેસ્કો વિશે…

ડિસેમ્બર 25, 2017

કવિતા-યુરોપ સમ- સરમુખત્યારની હયાતીમાં ઉછરે છે,તે પણ ગૂંગળાતી.ત્યાર પછી રાફડો ફાટી નીકળે છે,કવિતાના વિકાસમાં,અનુભૂતિમાં.કળાના અભ્યુદયમાં આ પ્રવૄત્તિ કેટલી પરિણામકારી છે? કવિતા કવિતા રહે છે કે ટોળું થઈ જાય છે? એ સમય,એ સંસ્કૃતિની કવિતા પર ધરમૂળથી લાદેલા ફેરફાર હોવા છતાં.કવિતા માટે,એવા કાળમાંથી પસાર થતાં,એક જોખમ ઉદભવે છે,તે એ કે એ સાંસ્કૃતિક ક્રાંતિ મટી કેવળ નફરત કે ઘૃણા ન થઈ જાય,લાગણીમાં અચાનક થતાં જોરદાર પલટાથી.કવિતાનું કામ ઇજા પહોંચાડવાનું કે વપરાશમાંથી નાબુદ થવાનું નથી.સામાન્યતઃ આવાં કાવ્ય તેમના સમયની વક્રોક્તિ છે અને કવિ એના સમયનો બારોટ છે.જે એની ધરીમાં લાદેલી સમાજવાદી વાસ્તવિકતા ઊતરડી ફરીથી પોતાનો અને સંસ્કૃતિનો ભાર વેંઢારે છે.આવાં કાવ્યનો નાનકડો સંગ્રહ,અનુવાદ સ્વરૂપે,લુલયેતા લેશનાકુ(Luljeta Lleshanaku )૧૯૬૮,આલબેનિયામાં જન્મેલી કવયિત્રિનો,સર્જક ઉપરાંત બીજાં દશ અનુવાદ કર્તાઓએ સંયુકતપણે’ફ્રેસ્કો'(Fresco)નામે બજારમાં મૂક્યો છે.

ફ્રેસ્કો-માં ૧૧૯૨ થી ૧૯૯૯ સુધીમાં પ્રકાશિત ચાર સંગ્રહના, ત્રણ વિભાગમાં ઉપરાંત બીજાં નવાં ઉમેરેલાં કાવ્ય, એમ કુલ મળી સત્તાવન કાવ્ય પ્રકાશિત છે છતાં પાછલાં પુઠ્ઠા ઉપર ૫૮ નોંધ્યા છે.આ એકમાત્ર વિગત દોષ સાથે જણાવવાનું કે, ‘ ફ્રેસ્કો’ના કાવ્ય પીડિત સંસ્કૃતિની અનુભૂતિના સ્વર પર આઘાત કરતાં ચિહ્ન કાવ્ય છે.સંપાદક હેન્રી ઇઝરાયલનો સંગ્રહ અંતેનો ઉપોદઘાત અને પીટર કોન્સ્ટેનટાઈનની પ્રસ્તાવના-ગુજરાતી સાહિત્ય જગતમાં મેં કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યાં ત્યારે સ્વ.ડૉ.નીતિન મહેતાએ કહ્યુ હતું હું પ્રસ્તાવના લખતો નથી અને વિશ્વ સાહિત્યમાં સર્જકો ,વિવેચકો લખવા તૈયાર છે ,આતુર છે.( આપણે પ્રોત્સાહન આપવામાં સાવ બેદરકાર છીએ અથવા આપણે પક્ષપાતી છીએ.)-કોઈ કવિને વિશ્વ સમક્ષ રજૂ કરવા મથામણ કરે છે,લેશનાકુના કેસમાં બન્ને અભ્યાસીઓ આલ્બેનિયા ગયાં હતાં માહિતિ મેળવવા.-ત્યારે ગુજરાતીઓ આટલા બધાં સંસ્થાવાદી,ચોકઠાવાદી અને એકમેકને ધીક્કારતી સાહિત્ય પ્રજા અને પ્રવૃત્તિ શા માટે છે? ૧૯૮૦થી મુંબઈના સર્જકોની સાઠમારીથી માંડીને આજ સુધી જોયેલાં સર્જકો-વિવેચકો કેવળ નર્યાં ટોળાં હતાં અને છે !!!.ગુજરાતી સાહિત્ય સાચા અર્થમાં ‘સુરરિયલ’ છે,સાહિત્ય પ્રવૃત્તિ ગુજરાતી ભાષામાં મોભાધારી-માલધારી ગતિ-વિધિ છે,ક્યારે અટકશે??– આલ્બેનિયાની યુવા કવયિત્રિને એના વિકાસયુક્ત દ્ર્ષ્ટિકોણ સાથે વિશ્વ સમક્ષ મૂકી આપે છે.આ સંગ્રહની પ્રસ્તાવના દરેક ગુજરાતી વિવેચકે વાંચવી એટલે જરુરી છે કે કોઇપણ કવિને એના સામયિક સંદર્ભો સહિત વાંચો-નહીં કે કેવળ એના ખાનગી જીવનના પ્રસંગો,રાજકીય,સામાજિક પણ-જે કવિતા વિશે દ્રષ્ટિકોણ બદલે છે.આપણે આપણું સંત સાહિત્ય સામાજિક સંદર્ભે -અને તે પણ કાવ્યમાં મળતાં પ્રસંગોમાંથી વાર્તા રૂપે.-તપાસ્યું છે અને ભાષા સંદર્ભે,બોનસમાં.એ રીતિ હજુ પણ ચાલું છેઃ જુઓ રાવજી પટેલ વિશે લખાયેલાં લેખો એના કાવ્ય સંગ્રહ અંતે.(અંગત-ચતુર્થ આવૃત્તિ,૧૯૯૯)કવિતાના વિકાસ સાથે સંસ્કૃતિની ઉથલપાથલ પણ એક વધારે જુદા દ્રષ્ટિકોણથી જોવાય છે,તપાસાય છે.વાંચો પાછલા પુઠા પરના અભિપ્રાય આ સંદર્ભે,અને આ રહ્યાં થોડાં એમાંથીઃ
૧) a child who paid for the political sins of her grandparents in Hoxha’s Albenia.-એલિયટ વાઈનબર્ગર.
૨) in this bewildering human world such articulate determination proves again our common faith.-રોબર્ટ ક્રીલી.
૩) she makes explicit what it means to live in a violent and corrupt public world which penetrates privacy and betrays every intimacy.-એલન ગ્રોસમન.

૧૯૬૮માં જન્મેલી લુલયેતા એન્વર હોજા(Enver Hoxha)ના આપખૂદ સાસનકાળમાં ઉછરી છે.હોજા ૧૯૮૫માં મૃત્યુ પામ્યો.પણ આલ્બેનિયામાં પરિવર્તન-સુધારા!-હળવે કે દાબતે પગલે પ્રવેશ્યા હતાં.સોવિયેત યુનિયનમાં રાજકિય પડતી પછી આલ્બેનિયા લોકશાહી તરફ વળ્યું,પણ મર્યાદિત સફળતા સાથે.પીટર કોન્સ્ટેનટાઈનની પ્રસ્તાવનામાં આવશ્યક માહિતી સાથે.ટૂંકું વિહંગાવલોકન,ખાસ કરીને કવિતા,જે નિયંત્રિત સમય દરમ્યાન કેવળ ટકી રહી એટલું જ નહીં પણ બીજાં સ્વરૂપો કરતાં વધારે વિકાસ પામી,તે ખાસ ધ્યાન ખેંચે છે.કવયિત્રિની મથામણ,પ્રતિકૂળતાને,હેન્રી ઇઝરાયલીએ કાવ્યાંતે પ્રસ્તાવનામાં વિગતે બયાન કરી છે.

‘ફ્રેસ્કો’લુલયેતાનો પહેલો અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલો કાવ્ય સંગ્રહ છે.સર્જક સહિત કુલ અગ્યાર અનુવાદકોનું એક સાથે કામ કરતું અનેરું તંત્ર છે,એની પાછળ એ પણ કારણ હોઇ શકે કે એ ભાષા એટલી જટીલ હશે કે એક અનુવાદકથી સંપૂર્ણ કામ કરવું શક્ય નહીં હોય,અથવા એક અનુવાદક પાસેથી પાંચ-છથી વધારે કાવ્યો અનુવાદ કરાવવા ભરોસા પાત્ર નહીં હોય! છતાં,અનેક હાથે અનુવાદ થયાં હોવાં છતાં,અને વીસમી સદીના વળાંક સુધી આલ્બેનિયામાં તુર્કીભાષા પણ વપરાતી હતી,તે જોતાં સંગ્રહના ધ્વનિંમાં એકરૂપતા જળવાયેલી છે.એ કાવ્યધ્વનિંમાં સ્પષ્ટોક્તિ અને સામર્થ્ય અંગ્રેજીમાં પણ અનુભૂતક્ષમ છે.અનુવાદ આંટીઘૂંટી વગરના,સરળભાષી,અ-છાંદસ અને ભારે કે લાંબા શ્બ્દપ્રયોગ વગરના છે.કાવ્ય પ્રમાણમાં સંક્ષિપ્ત છે,પરિણામે મિતભાષી છે.

આખો કાવ્ય સંગ્રહ એક બેઠકે વાંચી જતાં,સૌથી પહેલી અનુભૂતિ થઈ તે મોટા ભાગની કવિતામાં સંસ્મૃતિ કેન્દ્ર સ્થાને છે,મોખરે છે.આ સંસ્મૃતિ વિશ્વયુધ્ધના અનેક કવિઓની જેમ ઇતિહાસ અને ભૂતકાળમાંથી અપ્રિહાર્ય આવે છે.એક માણસે અન્ય જણને આપેલી કાળાશ.એ પોતાને વિશે હોય,માતૃભૂમિ મટે હોય કે એની મા વિશે હોય,એ કેવળ ઉતપત્તિના મૂળગામી મૌનથી ભરેલી છેઃ
“મારૂં કાળુ લોહી ફરે છે,મારી કાળી સંસ્મૃતિ/પોતાની સામે થઈ જાય/અને ડૂબે/ઉતપ્ત્તિના આદી મૌનમાં”(ૃ.૧૭)આ પંક્તિઓ જર્મન કવિ પાઉલ સેલાનની’ડેથ ફ્યુહુ” કવિતા મનમાં ટપકાવી જાય છે.આવાં જ સંસ્મૃતિના કાવ્યોમાં એક સ્ત્રી પોતાના કુટુંબને જીરાફના કુટૂંબમાં જૂએ છે અથવા કાતર સંદર્ભે પણ વિચારે છેઃજીરાફ વિશે લખતાં-‘ એ ચામડી એટલી ગરમ/કે હવા પણ શેકાઈ ટેરા કોટા થઈ જાય.’અથવા,’મારાં મા-બાપના સામાન્ય સ્વપ્નને છેતરતીઃદરજીની મોટી કાતર/ચોકની સફેદ લાઈનને અનુસરે છે.’આ એજ કાતર છે જેણે છાપાંના કકડા કરી ગરમી આપતા સ્ટવની પાઈપોમાંની તરાડો ઢાંકી હતી,અને સોજા જેવા નાજુક નખ કાપ્યા હતાં.આવી સુરરિયલ ઈમેજો આપણી અપેક્ષા વધારે છે,છતાં બહુધા કરીને કાવ્યપધ્ધતિ,વસ્તુઓને યથાર્થપણે ચીતરતી ઉત્કૃષ્ટ કક્ષાની કાવ્યપધ્ધતી છે,જે મા વિષયક કવિતામાં વધારે અસરકારક છે.’આપણે ક્યારેય મૃત્યુ વિશે વાતો નથી કરતાં મા/જેવી રીતે પરણેલા ક્યારેય સમાગમ વિશે બોલ્યા નથી.’યદ્યપિ આપણે કવિતા સાથે મૃત્યુ તરફ ગતિ કરીએ છીએ-‘કેમોમાયલ દૅથ'(chamomile [kam-uh-mahyl,ઇન્ડિયાના શબ્દકોષોમાં camomile જોડણી છે)કાવ્યમાં એની માને કહે છે,’રાહ જો મરણની,એ મેળાના માણસ સમ ઘોંઘાટીયું આવશે.’

તો ક્યારેક ઇમેજીસ કર્કશ કે રૂક્ષ લાગે છે-આવું કયા કાવ્ય સંગ્રહમાં નથી બનતું?અથવા કયોઅ સર્જક પૂર્ણતઃ અ-ચૂક છે!-જેમ કે,’માફ કરજો,બાપુ આ કવિતા લખવા માટે/જે દરવાજાના કિચૂડાટ જેવી સંભળાય/ચીંથરાના ઢગ સામે/ઓરડામાં એની બગલના જાળાં સાથે…(પૃ.૪૫)દરવાજો કિચૂડાટ કરે પણ ચીંથરા સામે કેવો કરે?રૂમની બગલ એટલે? કદાચ ખૂણો અભિપ્રેત હશે !જ્યારે સ્પ્ષ્ત નથી કે નિશ્ચિત પણ નથી કે ક્યાંથી શા માટે શુષ્ક ફરિયાદ આવે છે…કદાચ બગલ શબ્દ આલ્બેનિયન ભાષાની વાક્ય રચનામાં અલગ રીતે બંધ બેસતો હશે,પણ અંગ્રેજી પર્યાય તરીકે વપરાતા કદાચ વાક્ય રચના અજુગતી બની ગઈ હોય.

કાવ્ય સંગ્રહ કદાચ એની દરેકે દરેક કવિતાની પૂર્ણતાની ખાતરી નહીં કરાવતો હોય છતાં એ ઇતિહાસની-ભૂતકાળની-સબળતા ઝીલીને આવે છે.ઉપરાંત યુરોપની ઓછી ઓળખાયેલી સંસ્કૃતિની ઝાંખી પણ લાવે છે-જેમાં લુલયેતા એ અનુભૂતિ કે અનુભવ તરફ અંગૂલીનિર્દેશ કરે છે( જેમ સેલાન,બાકમેન,હેરબર્ટ,પ્રીમો લીવી વગેરે કરે છે)-કે યુરોપના માણસમાં જીવન વિભાવના અને મથામણ કેવી હતી.સંત્રસ્ત.આગળ-પાછળ મૂકેલા લેખોથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ‘ફ્રેસ્કો’ની કવયિત્રી કાવ્યને ચોક્કસ ઓળખે છે;પણ કદાચ અનુવાદની મર્યાદાને કારણે આપણે કવિતાની ઉણપ પાસે પણ બેસીએ છીએ.પ્રશ્ન એ પણ ઉદભવે કે કવિતા ‘કાવ્યબાની’થી-તોડી ફોડીને-ઓળખાય કે કવિતાને માનવ સંદર્ભમાં-જે કવિતાનો વિષય છે.-ઓળખવી જોઇએ,જ્યારે કવિતા એક સર્જકનો અનેક સંસ્કૃતિ અનુભવ થઈ ગઈ છે.
૩-૩-૨૦૦૮


two poems by ravji patel

ડિસેમ્બર 25, 2017

1) a throng

it is a throng,even in solitude!
this
some breeze like
a sweetheart
goes brushing by.
overflows both shores.
increased with the rain of darkness.
i could hardly take a step
there,
such a snare of the air
that not even a thin hair
would move!
let me take a little walk
among the people on the other side of the bridge,
oh-
never even had an idea
about a throng of one!
* * *
2)
bedstead

tell me,how long will i be a stranger,
in your house?
tell me,in your house
would i receive a hubble-bubble treat?
in southern verandah on a spread out bedstead
i would rest for a while
watching the people come and go;
with eyes closed i hear your voice from inside
i open the door slightly!
what i saw was a concert of two bodies!
who would grind poppies?
who would pulverize the flower of intoxication?
palms tingling like rutted wind-
day becomes thorny-
a portion of the day would come running—
the horses of the night
wings would grow from the bedstead
a sparrow attached to the door
would fly in the house like a dream.
looking over there the moon sniffs verandah
give off the fragrance of a nap,for a little while,
give me your breath wrap it around me and rest.
with darkness,fastens this excitement from the side
on a spread bedstead—
2005


નોંધઃ રુબિકનું સતોડિયું

ડિસેમ્બર 25, 2017

કવિતામાં થાક લાગે છે,અને એ થાકેલી કે થાક લગાડતી ભાષા જ વિધાન છે,સંદેશો છે.ભાષા અને તે માટે વપરાતા મૂળાક્ષરો આત્યંતતા છે.આ શબ્દો જ સિસિફીયન(સિસિફસનો) જાહેર તમાશો છે એના અને એને માટે કરેલી મજૂરીનો.આકારબધ્ધ કૃતિ જાણીબુઝી જોર તોડી નાખતી કોઇ પણ પરિસ્થિતિમાં એવું દેખાડવા માંગે છે કે ધાકધમકીભરી અસંભવિત અવસ્થામાંય,ભાષા હજું પણ જો અપરિચિત,કદાચ ઉદ્દાત્ત નહીં,વિચાર અભિવ્યક્ત કરી શકે છે.

‘રૂબિકનું સતિડિયું’બે વૈશ્વિક અવસ્થા કે રમતના સંયોજનનું પરિણામ છે.રૂબિકનાં ચોકઠાં અને આપણી સાત ઉપરાછાપરી ગોઠવેલી કૂકરીઓનું.દરેક ચોરસ અને સાત ભાગ જતાં જતાં લખવાની કળા ઉલ્લેખે કે વળગી રહે,દરેક ભાગ ઘડતરનો ગુચ્છો,કામલોલુપ ઇશ્કબાજી,તરાઈ અને દરિયાઈ ગતિને ઉલ્લેખતો હોવો જોઇએ એના સાંકેતિક સ્વરૂપે.

આ કાવ્ય રમત છે,માહિતિ છે,મનોયત્ન છે.આ ત્રણેવને તોડી ફરી સાંધતી દરિયાઈ ગતિ છેકુલ સાત વાક્યની,નવ ભાગમાં લખાયેલ, છ ચોકઠામાં ચોપ્પન કાવ્ય છે.
(૩-૧૪-૨૦૧૪)


રુબિકનું સતોડીયું-કાવ્ય ગુચ્છ-૧

ડિસેમ્બર 25, 2017

ભવાઈ
રંગલીની મશ્કરી કરવા કરતાં
તારી સોને મઢી આકર્ષક દૂંટી
વિશે વિચારતાં દરેક ક્ષણ પલકારા
સમ મારે પક્ષીંમાં ગોઠવેલું છાપરું
પવનમાં અઠડાતા પીંછાં ઉથલાવે
અને રવાલ પેદા કરી ગતિ તાણે
ભવાઈ ભવાઈ ભવાઈ ભ-વાઈ.

છાપરું
પછીથી છાપરું અળસિયા સમ
ભાખોડીયું ભરે પેટમાં બરડ
અવાજ જાળવી માટીમાં ગોલેલો
દાદરામાં પગથિયાંને બદલે ઊભેલી
જાહેરાત-ભાર પગી વા ફાચર સજ્જડ
ખાંચાઃ અળસિયાં કેદેથી પાણીપોચાં
છાપરે છાપરે છાપરે છા-પરું

બાળક
બાળક કેન્દ્રમાં ઉભેલી બારી
જો કેન્દ્રમાંથી બાળક તૂટી પડે
તારું તેન્ડુલકર ઉર્જા ખમીસ
હેલિકોપ્ટર અલ્લદીન ભીંતમાં
‘કાલી’શકીરા પવનોમાં લહેરાતી
તૂટેલી ભીંતમાંથી તરાપે ઉગરશે
બાળક બાળક બાળક બા-ળક

બાગ
પૂરેલા કૂવા થાળે સિસોટી રમાડતો
આંખમાંથી ભીનું જોઇ કહ્યું હતું
મટોડા લહુને જલિયાંવાલાંમાં
માટી ફેલાયેલી છે,સંકલિત નહીં
એકવાર ફૂટી છે મારામાં
મોડી પણ તદ્દન રમતિયાળ રહે જે
બાગ બાગ બાગ બાગ-બા

ભોંયતળ
દલાલ સ્ટ્રીટે કાળો મોબાઇલ કાન
કાળા વાળમાં ઓફીસ મોઢામાં
બારખડી કકળાટ મોડા મંગળે
હતાશા અંદાવદી ચાવી રમતમાંથી
પડોશી ઉઘાડો ફટ રવિવારે
દરેક ઓફીસ પડોશી વ્યાકરણ
ભોંયતળ ભોંયતળ ભોંયતળ ભોં-યતળ

કામેચ્છા
૩m બ્લેક ટેપમાં કેવું હતું
એલેક્ટ્રોન લિપિમાં encoded
અગઉથી ફાટેલા દરિયામાં
કાળા rapમાં અનુસરતા રવાલમાં
ઇલેક્ટ્રોન ટપકાંમાં ખસતાં સંગીતમાં
એક નપુંસક ભાષા ડચકાં ખાય
કામેચ્છા કામેચ્છા કામેચ્છા કેમ-છો.

પ્રસ્તાવના
અહીં સપ્તધનુષમાં રંગ સાતવાર
અહીં સપ્તપંક્તિમાં ફરી સાતવાર
અહીં સપ્તપદીમાં ડિવોર્સ સાતવાર
તું ડિંગલામાં જન્મ્યો’તો જેમ ટી.
વી.સીરિયલની સંદિઘ્ધતામાં કે
ઉકરડામાં ગૌતમીને મળેલો માણસ
પ્રસ્તાવના પ્રસ્તાવના પ્રસ્તાવના પ્રસ્તાવ-ના

ફૂલદાની
ફૂલદાનીંમાં પકડી રાખેલો હાથ
અને ધૂમાડો થૂંકતી રાત્રિમાં
ખીલેલા ટકોરા ટાઇના સમોસામાંથી
ગળુ ઢીલું મૂકે ચામડી ગળતાં
બારી પારદર્શક આકાશ પણ કાળું
હથેળી ફરીથી ખીલવા માંડી
ધૂમાડો કવિતાને રાત્રિમાં દોરે

સ્તન દર્શન
અંધકાર કબૂતર જેવું આરડતું બેસે
બે કાચમાં ખખડતો હતો અવાજ
દૂર દેખાતો હતો સાડાદસને ટકોરે
ભૂરો પ્રકાશ ફાટી પડતાં ઓહ માંથી ઓહ
શું છે આંખમાં પરપોટા ટહુંકે
નખ દાઝે ઘરડાવાળ ટૂકડો ભાષા
પારદર્શકતા જ કેવળ વર્ચસ્વ હોય
(૧૦-૧ થી ૧૦-૧૫-૨૦૧૦)

નોંધઃ રુબિકનું સતોડિયું

કવિતામાં થાક લાગે છે,અને એ થાકેલી કે થાક લગાડતી ભાષા જ વિધાન છે,સંદેશો છે.ભાષા અને તે માટે વપરાતા મૂળાક્ષરો આત્યંતતા છે.આ શબ્દો જ સિસિફીયન(સિસિફસનો) જાહેર તમાશો છે એના અને એને માટે કરેલી મજૂરીનો.આકારબધ્ધ કૃતિ જાણીબુઝી જોર તોડી નાખતી કોઇ પણ પરિસ્થિતિમાં એવું દેખાડવા માંગે છે કે ધાકધમકીભરી અસંભવિત અવસ્થામાંય,ભાષા હજું પણ જો અપરિચિત,કદાચ ઉદ્દાત્ત નહીં,વિચાર અભિવ્યક્ત કરી શકે છે.

‘રૂબિકનું સતિડિયું’બે વૈશ્વિક અવસ્થા કે રમતના સંયોજનનું પરિણામ છે.રૂબિકનાં ચોકઠાં અને આપણી સાત ઉપરાછાપરી ગોઠવેલી કૂકરીઓનું.દરેક ચોરસ અને સાત ભાગ જતાં જતાં લખવાની કળા ઉલ્લેખે કે વળગી રહે,દરેક ભાગ ઘડતરનો ગુચ્છો,કામલોલુપ ઇશ્કબાજી,તરાઈ અને દરિયાઈ ગતિને ઉલ્લેખતો હોવો જોઇએ એના સાંકેતિક સ્વરૂપે.

આ કાવ્ય રમત છે,માહિતિ છે,મનોયત્ન છે.આ ત્રણેવને તોડી ફરી સાંધતી દરિયાઈ ગતિ છેકુલ સાત વાક્યની,નવ ભાગમાં લખાયેલ, છ ચોકઠામાં ચોપ્પન કાવ્ય છે.
(૩-૧૪-૨૦૧૪)