અસ્તિત્વની ક્ષિતિજને પેલે પારઃ
એક પુનઃઅવલોકન
કવિ-કમલેશ શાહ , એપ્રિલ-૨૦૦૦,ગૂર્જર ગ્રંથ્રત્ન કાર્યાલય.મૂલ્ય ૧૫૦ રૂ.
૧૯૭૦ના દાયકામાં ગુજરતી સાહિત્યમાં અનેક કવિઓ લખતા થયા હતા.અને એ બધાં એક કવ્ય સંગ્રહ પૂરો કરી થાકી ગયા–કોણ જવાબદાર છે એ માટે, કવિ કે ગુજરતી પાઠક?કે આપણું
અંગ્રેજી શિક્ષણ તરફ ઢળવું ! ઍ સમયગાળામાંથી કે અર્વાચીનોમાંથી કવિ-સંપાદક કમલેશ શાહ પણ છે.૧૯૭૧થી૭૯ સુધી સાંપ્રત સાહિત્યના જોસ્સાથી કટિબધ્ધ, એ સમયના યુવા સર્જકોના
વિકાસ માટે આવશ્યક sine qua nons (અનિવાર્ય શરત કે લાયકાત )થી સજ્જ પણ હતો. એનાથી વધુંમાં એની પાસે વિશેષ પણે તીવ્ર સંવેદનક્ષમતા પણ હતી. એના કાવ્યોમાં હોવાની
મથામણ-કે ચિંતા વા ગુનાહિત ભાવના–અભિવ્યક્ત થાય છે. ૨૦૦૦ની સાલમાં પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ ઘણું વૈવિધ્ય ધરાવે છેઃ ( ગુજરતી સાહિત્યએ “ભૂષણો ” મેળવેલા કવિઓ છોડી
એના વિસરાઈ ગયેલા વિદ્યમાન કવિઓની ફેરતપાસ કરવી જોઇએ.)સ્થાનિક ધરતીના કાવ્યો વિશેષ સ્થાન ધરાવે છે. જેમકે–પીપળાનું વ્રુક્ષ, ઉનાળાની ભરબપોરે અમદાવાદ, વરસાદપછી
સાંજે મુંબઈ, કે , વન ટ્રી પોઇંન્ટ, માથેરાન–વગેરેમાં જે તે સ્થળના સ્થાનિક જનજીવન, રૂઢીઓ, આદતો જે આપણી પરંપરાએ ઊભી કરી તે મૂળભૂતતાને, આધૂનિકતા સાથે ભેળવી પણ છે,
અને એ દ્વારા પોતાના હોવપણાની શોધ આદરે છે.
અહિં ખાસતો અના બૂધ્ધ કાવ્યો વિશે વાત કરવાનો ઉપક્રમ છે. જ્યાં કવિ જીવનની વિશળ સમજણમાં, કુદરતમાં અને એ દ્વારા સમસ્તમાં, પરંપરિક લાગણી બધ્ધતાથી, એ રીતે જૂદો પડે છે
કે કવિ અસ્તિત્વના મૂળભૂત કૂટપ્રશ્નોની ” હું ” થી ફેરતપાસ કરે છે. પરિણામે કવિતા કવિમાં વિલિન થાય છે. સંગ્રહના પહેલા બન્ને બુધ્ધ કાવ્યમાં કવિ પોતાને આડકતરી રીતે પ્રથમ પુરુષ
એકવચનમાં ઉદ્દેશે છે, જે બુધ્ધમાં વિલિન છે. કવિની તીવ્ર મથામણ એના હોવાના વિરોધાભાસમાં–શરીર અને આત્મા, ઈચ્છા અને આરોપણ, એકતરફ , રિક્તતા અને ગુણાતીત બીજી તરફ.
જે વૈશ્વિક પરંપરામાં થયું છે તે પ્રમાણે ( પણ ) દ્વિભાજનથી આગળ ગયું છે. પહેલા નાનકડા કાવ્યમાં બુધ્ધ થવાની ઇપ્સામાં પોતે બોલે છે, પણ છેવટે પોતાને સંક્રાંત કરી, તૂટી જઈ, ફરી
પોતાની હોવાની નિષ્ફળમાં કેદ થઈ જાય છે ” અટકાવી રાખ્યો છે ” એ સભાનતાથી. આ શુધ્ધતમ (કે પવિત્ર !) અને ” હું ” બુધ્ધની રિક્તતા ( નિર્વાણ !) નું શિક્ષણ અને શિક્ષણની રિક્તતા બન્ને સમથળ થઈ જાય છે. પરિણામે કવિ માટે કે એના કાવ્યતત્વ માટે નિર્વાણ અવસ્થા પ્રાપ્ત કરવાને બદલે હોવાનું સત્ય લાદવું વધારે મહત્વનું છે.
બીજા કાવ્યમાં ઉમેરાયેલું સ્નેહતત્વ એટલુ જ સૂચવે છે કે ઈચ્છા અને આરોપણ પ્રાપ્તિ માટે કે હોવાની શક્યતા માટે આવ્શ્યકતા છે. અને આ બૌધ્ધિક સૂઝ કાવ્ય વાંચવાના અનુભવ્નો એક ભાગ છે.કમલેશના કાવ્યોનો પાઠક આવા અનેક બળકટ સંવેદન, હતાશા, ઈચ્છા અને દ્વિધાવ્રુત્તિમાંથી જાગી માણસ હોવાની ટાળી ન શકાય તેવી જબરદસ્તી, અસ્વાભવિકતા, મુંજવણ, સંકોચ વગેરેમાં અસ્થિરપણે ઝુલે છેઃ અને એ જ છે માનવ પરિસ્થિતિ.
અંતે એ કહેવું પણ અનિવાર્ય થી જાય છે કે કમલેશના આ બે કાવ્યો તાઈવાનિસ કવિ શી હ્વે ચી પણ યાદ કરવે છે. શી ચીના “માંખી સાંભળે છે બુધ્ધનું તત્વજ્ઞાન ” અથવા ” મારા બુધ્ધ તું
દયાજનક છુઃ આનંદનો સ્વિકાર ” વા ” ખોવાયેલો સ્કાર્ફ “
i take out from my bosom the once lost khata / and see glistening purple tears well up in your eyes…ane
અને હું જાગ્યો ત્યારે મારી ઉપર
બૂધિવ્રુક્ષ
સ્વાસ લેતું હતું…તારી પાનીની ઠેશ વાગ્યા પછી.
નોંધઃ khata=સ્કાર્ફ. હિમાન્શુ પટેલ ૭-૨૯-૨૦૦૯
Posted by himanshupatel555