વાલ્ઝીના મોર્ટ- જ્ન્મ,૧૯૮૧

November 9, 2011

બે કાવ્ય,
૧)    પ્રસ્તાવના
ઉઘાડા વૃક્ષ પર-
એક લાલ પશુ,
એટલું નિઃસ્તબ્ધ, એ વૃક્ષ થઈ ગયું
હવે વૃક્ષ પશુ આંતરે
સાવધ પશુ.

એની છાતીમા પથ્થર ઝીંક્યો

એટલા જોરથી- પથ્થર પશુ થઈ ગયો.
હવે પશુ પોતાને ઝીંકે પથ્થર સમ,
લોહી કુતરા જેવું-ગુલાબી વૃક્ષ વંટોળીયામાં,
અને ચંદ્ર થકવી નાખે તમારે ચહેરે
કાગવાસનું ઢોંગી વાર્ષિક મોહરું

મૃત્યુ વધું સાંભળવા રાહ જુએ.
તેથી મૃત્યુ ઉવાચઃ
પહેલાં-તારી કથા,પછી-હું.
( કલેક્ટેડ બાડી,કાવ્ય સંગ્રહ-૨૦૧૧ માંથી)

૨)   લગ્ન
આ રીત નથી તમારી તૂટેલો ગ્લાસ ચોંટાડવાની

એ ટીપે ટીપે ભેગો કરે
દરિયો સમસ્ત વિશ્વ ફરતે છંટાયેલો

તમે પથારીની ધારે ટૂંટિયું વાળ્યું છે
એકદમ અચાનક
એકાએક ધારણા બહાર
કબાટ નીચે ગબડી ગયેલા રમકડા સમ

અને તમારા શ્રીમતી કોલંબસ અહીં છે
માંસ જેવી લાલ આંખો
ઝીણી કરેલી પણ નિહાળતી નથી
એની હોડીના નાકથી આઘે

કોણ નીકળી પડશે તમને ખોળી કાઢવા
જ્યારે બધા નકશા ખરીદાયેલા અને જડાયેલા હોય
કોણ માનશે
કે સમુદ્ર ગાબડું છે
કે સ્વક પર ઓઢાડેલી ચાદર
તારી-મારી સાથે ભૂત-પલિત રમવા.
( ફક્ટરી ઓફ ટીઅર્સ,૨૦૧૦ પ્રથમ કાવ્ય સંગ્રહ)
[અનુ.૧૧/૪ અને ૧૧/૫/૨૦૧૧ અનુક્રમે]

{અબ્દુ અલી ઇટનની વાલ્ઝીના મોર્ટ સાથે ગોઠડી ઃ અનુવાદ.}

બેલરુસથી આવેલી આ ૧૯૮૧માં જન્મેલી કવયિત્રિ હાલ બાલ્ટીમોર યુનિ.માં વ્યાખ્યાતા છે.૨૦૦૫માં પહેલો કાવ્ય સંગ્રહ’ફેક્ટરી ઓફ ટીઅર્સ’આપ્યા પછી૨૦૧૧માં નં.૨’કલેક્ટેડ બાડી’
કેન્યન પ્રેસમાંથી આવ્યો છે.ઇન્ટરનેટ પર થયેલી આ મુલાકતનો અનુવાદ છે.

અબ્દુઃ  બાલ્ટીમોરના આગમને કવિતામાં શું ઉમેર્યું ?
વાલઃ એ તો બાલ્ટીમોર છોડીશ પછી સમજાશે.
અબ્દુઃ ‘કલેક્ટેડ બાડી’ પાછળ કારણભૂત શું ?
વાલઃ  પ્રેરણાને કોઇ સ્ફૂરણ નથી,જો આ વાતને અર્થ હોય.પ્રેરણા સ્વયંભૂ છે આવે ને જાય યદ્રેચ્છાએ,અને આંગળી મૂકી કહી શકાય નહીં કે આ કે પેલા સમયે શું આવ્યું હતું. આ કાવ્ય સંગ્રહની શરુઆત ૨૦૦૯ના ઉનાળામાં થઈ હતી.જ્યારે હું ઉત્તરના દરિયાના નાનકડા ટાપુ પર રહેતી હતી, પછી બે વર્ષ પ્રત પર કામ કર્યું,સંપાદન, છેકાછેક, ફેરવિચાર વગેરે. સંગ્રહ નિશ્ચિત પણે મેટામોર્ફોસિસ ( રુપાંતર/પરિવર્તન)ના તાંતણે સંધાયેલો છે ( જુઓ એના આવરણમાં લીડા(સ્ત્રી)અને હંસ.)અને સ્ત્રૈણ વિષયાસક્તિ(સેન્સુએલિટી) અને ચિત્રપ્રદેશ-જે બે વિવિધ દેખાવો વચ્ચે નિર્વાસિત છે-જે ઉત્તરના દરિયાથી કેરેબિયન સમુદ્ર સુધી વિસ્તરેલી કવિતામાં વણાયેલો છે;અને બેલરુસનો પૃથક સમતલ(ફીકો!) વિસ્તાર.
અબ્દુઃ  સર્જક તરીકે ગૂઢસત્ય અને નિષેધ,જેવાં કે જાતિય સંબંધ અને હિંસા,તપાસ્યા છે ખરાં.તમાને જીવાતી લાંછિત હકિકતોને જાહેર કરવાની ઇચ્છા થાય ખરી?
વાલઃ  હું સંબંધ અને હિંસાને નિષેધ તરીકે નથી જોતી,ખાસ કરી, ફિલ્મી સંસ્કૃતિ, જે એનું દૈનિક ઉત્પાદન છે.મને લાગે છે કે એના વિષે ચર્ચા કરવી ઢોંગ હશે જ્યારે અમેરિકામાં એ બન્ને સાક્ષાત છે, હકિકતમાં એ બે જ કેવળ પદાર્થ છે જે વેચાય છે.મને નથી લાગતું સર્જક તરીકે હું એકેય તરફ વધારે ધ્યાન આપું,જો કે આ બીજો સંગ્રહ પહેલા કરતા વધારે વિષયાસક્ત છે.પણ વ્યક્તિગતપણે મને કળામાં વધારે રસ છે-અને ફિલ્મો કદાચ એમાં વધારે સરળ છે.-જે દેખાડે છે આપણી સંપૂર્ણ વિકૃતિ કેવી રીતે કહેવાતી નિયમિતતા છે.કોઇ નમૂનેદાર નથી.આપણે બધાં રૂઢીમુક્ત છીએ.એ જ આપણા વિશે રસનો વિષય છે.હું તમારું ધ્યાન ઑસ્ટ્રિયન ફિલ્મ ડિરેક્ટર માઇકલ હેનેકે(heneke) તરફ દોરું છું.ત્યાં ‘લાંછિત હકિકતો’તાગવાની વાત નથી પણ પ્રેક્ષકને પ્રોવવાની,ઉઘાડવાની નહીં,જેમે જેમે તમારું કર્મ ઉકલતું જાય તેમાં.
અબ્દુઃ  કદાચ તમારે માટે આ ગૂઢ સ્થળો(સ્તરો!)એ જવું અઘરું હશે કવિતા માટે ?
વાલઃ  ના , એવું નથી. મને આનંદ છે કે હું એ કરી શકું છું,અને બીજી કોઈ રીતે જીવવું-તેની કલ્પના કરી શકાતી નથી.
અબ્દુઃ  કવિતા, લય,આકાર અને સંવેદના સાથેના નૃત્ય જેવું છે. તમારી કવિતા કોઇ નૃત્ય સ્વરુપ હોય તો તે કયું ?
વાલઃ  હું કવિતાને નૃત્ય સાથે સરખાવીશ નહીં, મારે મતે,એ ખૂબ ઉત્કૃષ્ટ કળા સ્વરુપ છે.આપણે લય, આકાર અને સંવેદા વિશે દરેક કળામાં વિચારી શકીએ,પછી એ સંગીત હોય કે ચક્ષુગમ્ય (ચિત્રાદી) કળા હોય.પણ ઇતર કળા સ્વરુપો સમ, અને નૃત્ય અગ્રસ્થાને,કવિતા માનવજાતિનું મહત્વનું કામ કરે છે.ભાષાની શુધ્ધતા જાળવવાનું,રૂઢ વાક્ય પ્રયોગો અને અન્ય
અભિવ્યક્તિઓ જેમાં કોઇ સૌંન્દર્યગત કર્મ નથી,પણ કેવળ ઉપયોગીતાવાદ જ છે,તેનાથી મુક્ત કરાવવાનું.
અબ્દુઃ  તમે તમારાં કાવ્યોને ઉર્મિગીત તરીકે જુઓ છો ? આ સંગ્રહ વાંચનાર માટે કયો આલાપ ગાય છે ?
વાલઃ  કાવ્યના મૂળ ગીતમાં છે,એ દ્રષ્ટિએ દરેક કવિતા ગીત છે,એક પ્રાર્થના.યદ્યપિ,નૃત્ય સમ કાવ્ય સંગીત(લય)ગાયનની તરજ સમ દેખાડી કે સંભળાવી ન શકાય.હું જ્યારે આ સંગ્રહના સર્જનમાં રત હતી ત્યારે ફ્રાન્ઝ લિઝ્ટ,શોપીન અને બ્રાહ્મ્સને ખૂબ સાંભળતી’તી, પણ કવિ જ્યારે લખતો હોય ત્યારે આપણે જૂદા પ્રકારના લયની વાત કરીએ છીએ.કદાચ સારો શબ્દ આનંદ હશે,જેમ આપણી સાચી આનંદની ક્ષણોમાં દરેક વસ્તુ આપણામાં લહેરાતી હોય.આપણે એને ક્યારેક સંગીત,ક્યારેક કવિતા, ક્યારેક આનંદ કહીએ, કારણકે વાસ્તવમાં એને કોઇ નિશ્ચિત નામ નથી–એ એવી લાગણી છે( વસ્તુ છે.) જે સંજ્ઞા સ્વીકારવા તૈયાર નથી.આપણે અનુભવીએ ત્યારે જ જાણી શકીએ છીએ.અને એને કોઈ નામ નથી તે કારણે આપણે એકજ રીતે તેનું અનુભાવન કરી શકીએઃકળા દ્વારા.
અબ્દુઃ  તમે મુસાફર છો.કયા સ્થળો તમને પ્રેરણા આપે છે ?
વાલઃ હું સરળ જીવવું પસંદ કરું છું,પૈસા બનાવી જુદા સ્થળોએ જતી હોઊં છું.કોઇપણ સ્થળે મહિનો તો હું રહી જ પડું, જે મોટે ભાગે ઉનાળામાં જ સંભવે છે.કળા ગૃહો એ માટે ઉત્તમ છે.આ સંગ્રહ બે રહેઠાણો વચ્ચે લખાયો છે-જર્મન ટાપુ ઝ્યીલ્ટ અને ઓસ્ટ્રિયા.પછી હું ટ્રિનિદાદના એલિ યાર્ડમાં રહી અને છેવટે મોરોકોના ઉનાળામાં આખરી ફેરવિચારણા થઈ એના વિશે જ્યાં લેનન ફાઉન્ડેશનની સહાયથી હતી.હાલ હું ઓસ્ટ્રિયામાંથી તમને જવાબો લખી રહી છું, જ્યાં ફરીથી રહેવા આવી છું.ડેન્યુબના ક્રેમ્સ ટાપુ પરના લિટરેચરહાઉસમાં.મને વિશાળ પ્રદેશો જેવાંકે સમુદ્ર,રણ વગેરે ગમે છે.હું નાના અને સંપૂર્ણ પણે દરિયાથી વંચિત દેશમાં ઉછરી છું. હકિકમાં, હું જ્યારે બાળક હતી,દરિયો ભગવાન જેવો હતો-કેવળ એના વિશે વાંચ્યું હતું, પણ આંખોથી નિહાળ્યો ન હતો.તેથી હાલમાં હુ,મને લાગે છે કે, વિવિધ સમુદ્રોતટોની ભરપાઈ કરું છું.
અબ્દુઃ  બાલ્ટીમોર શરુઆત કરતા કવિઓ( નવા નિશાળીયાઓ) માટે યોગ્ય છે ?તમે કયા સ્થળો સૂચવશો ?
વાલઃ હું કદાચ આ”શરુઆત કરતા કવિઓ( નવા નિશાળીયાઓ)”દ્ર્ષ્ટિકૉણ સાથે સહમત નથી, કેવળ એક જ સ્થળ કવિઓ માટે સારું છે, તે પુસ્તકાલયો.બાકી બધું વિકલ્પ છે,પણ એ ય મહત્વનું છે બીજાં, અન્ય કરતાં વધારે,માટે કે પ્રસ્થાપિત કવિઓને વાંચે, સાંભળે અને ગોઠડી કરે મનગમતાઓ સાથે.શહેરોમાં કાવ્યવાંચનના સારાં કાર્યક્રમો થતાં હોય છે.જો તમે સ્થાનિક મેગેઝીનોમાં છપાવો તો એના વિતરણ સમારંભો તમને વાંચવા આમંત્રણ પણ આપશે.અમારા MFA પાઠ્યક્રમમાં જબરદસ્ત વાંચનના કાર્યક્રમો છે, જે આમપ્રજા માટે મફત અને જાહેર છે.અહીં સીટી લિટ(સંસ્થા)છે.એનક પ્રાટ પુસ્તકાલય છે પોતાના વાંચનના કાર્યક્રમોવાળું.ન્યુયોર્કતો હાથ છેટું છે.

અબ્દુ અલિ ઇટન કળાના હિમાયતિ અને બાલ્ટીમોરના સ્થાનિક સર્જક છે.એમનું સર્જન EatOnThis.Com પર વાંચવા/જોવા મળશે.

Read the rest of this entry »


ગોદોકરણ*

October 12, 2011

બધાં રસ્તા મૌન છે,
દરેક ગલીઓ અને વળાંકો,
દરેક પ્રવેશ અને ડગલાં
એક જ દિશામાં દોરી જાય છે.
દરેક શ્વાસમાં મૃત્યુ સ્વતઃ છે
મને પાછળ છાંડી,હું ચાલ્યો
પછી…
પાછા વળી મને જોયો
હું ત્યાં છું
હું ત્યાં હતો
હું ત્યાંજ હોઇશ
દરેક શ્વાસમાં આપણે મૃત છીએ.
godotism
July 24, 2009

All roads are in silence,
Every street and corner,
Every door and footprint,
Leads in one direction,
In every breath we die our death
Leaving me behind, I walk
Then….
Turn back to see me,
I am there
I was there
I shall be there
In every breath we are dead.
*સેમ્યુઅલ બેકીટના નાટક waiting for godotનો ઉલ્લેખ છે શિર્ષકમાં.

http://en.wikipedia.org/wiki/Waiting_for_Godot


June 19, 2011

છૂટ્ટો મૂકો

June 18, 2011 by himanshupatel555 | સંપાદન કરો

છૂટ્ટો મૂકો તમારો આત્મા મારા આદર્શ સાથીઓ અને પ્રિય આત્મજનો.
તમારા હ્રુદય સમ બીજું કોઈ ઘર મને સાચવત નહીં
એ ઘર હું હોંઉ, તો તમે એનું ઝાંકળ હોત
તમે શમનકારી લહર છો
મારો આત્મા તમારાથી હ્રુષ્ટપુષ્ટ છે
અને આપણી બાથ પાર્ટી લીલીકચ ખીલેલી ડાળ.
દવા બીમારીનું નિરાકરણ નથી પણ શ્વેત ગુલાબ જરૂર છે.
દુશ્મને ઘડ્યા છે ફાંદા અને યોજના
અને તેઓ દોષી હતાં છતાં આગળ વધ્યાં.
એ યોજના છે અહંકાર અને ખાલીપાની
એ પડતી સિવાય કશું સાબિત નહીં કરે
આપણે ભરખીશું જેમ કાટ લોખંડને
જેમ પાપીને પાપ ગળે
આપણે ક્યારેય નપુંસક ન’તા
આપણા મૂલ્યોથી સબળ છીએ આપણે.
આપણી સધ્ધર પ્રતિષ્ઠા આત્મસાથી છે,
દુશ્મને આપણા સમુદ્રમાં અજાણ્યાઓ ધકેલ્યા’તા
અને જે એમને પોષશે સદા રડશે.
અહીં થઈશું વરુને સામી છાતીએ
અને નહીં થરથરીએ નરપશુથી.
આપણે પડકાર્યા કોઠા યુધ્ધો
અને ઇશ્વરેચ્છાએ,એમને પછાડશું.
કેવી રીતે આવાં વલણમાં હોય તેઓ ન્યાયી?
માર દેશવાસીઓ, અમે કદી તમને ઊતારી નથી પાડ્યા
અને ઉત્પાતમાં આપણી પાર્ટી છે અગ્રેસર.
મેં બલિ આપી મારા આત્માની અને આપણી ધરતી માટે
દુષકર કાળમાં લોહી સુલભ છે
નહીં નમીએ નહીં નમીએ કદા હુમલાને
પણ દઈશું દુશ્મનને આતિથ્ય..
૫-૩-૨૦૧૧થી૫-૨૩-૨૦૧૧
અનુવાદઃ હિમાન્શુ પટેલ

Saddam poem: Baathists bloom, enemy is hollow – Africa & Middle East – International Herald Tribune

Published: Thursday, January 4, 2007

// <i>Following is the first half of a poem attributed to Saddam Hussein, as transcribed and translated by The New York Times from a reading by his cousin Muayed Dhamin al-Hazza.</i>

Unbind It

Unbind your soul. It is my soul mate and you are my soul’s beloved.

No house could have sheltered my heart as you have

If I were that house, you would be its dew

You are the soothing breeze

My soul is made fresh by you

And our Baath Party blossoms like a branch turns green.

The medicine does not cure the ailing but the white rose does.

The enemies set their plans and traps

And proceeded despite the fact they are all faulty.

It is a plan of arrogance and emptiness

It will prove to be nothing but defeated

We break it as rust devours steel

Like a sinner consumed by his sins

We never felt weak

We were made strong by our morals.

Our honorable stand, the companion of our soul,

The enemies forced strangers into our sea

And he who serves them will be made to weep.

Here we unveil our chests to the wolves

And will not tremble before the beast.

We fight the most difficult challenges

And beat them back, God willing.

How would they fare under such strains?

All people, we never let you down

And in catastrophes, our party is the leader.

I sacrifice my soul for you and for our nation

Blood is cheap in hard times

We never kneel or bend when attacking

But we even treat our enemy with honor. …


ઉંદરિયામાં એક ઉંદર

January 14, 2011

[નાની શિયા માટે]
સળિયા વચ્ચેથી નાનકડો ઉંદર દોડી જાય
બારીની ધારે આવ-જાવ કરે
ઉખડતી ભીંતો એને નિહાળે
લોહી તૃપ્ત મચ્છર નિહાળે
એ તો આકાશનો ચંદ્ર પણ તાણી લાવે
રુપેરી
પડછાયા પડે
સુંદર,જાણેકે ઉડતો
ઉંદર આજે રાત્રે નિમ્ન હતો
ખાય નહી પીવે નહી દાંત કચરે નહીં
છેતરાય નહીં તે આંખે તાકી રહેતા,
ચાંદનીમાં રસળતા. ૧-૧૪-૨૦૧૧
[સૌજન્યઃhttp://www.pen.org/viewmedia.php/prmMID/3029/prmID/172]
૨૦૧૦નું શાંતિ માટે નોબેલ પ્રાઈઝ વિજેતા ચીનના ચળવળ પ્રણેતા લિયુ શાઉબોનું આ કાવ્ય સ્વતંત્રતા માટેના ઉદગાર છે.ચીલેમાં પાબ્લો નેરુદાએ
કહ્યું હતું i utter therefore i am. દરેક કવિ વાણી સ્વતંત્રતાનો ઉદઘોષક છે.
સ્વતંત્રતા.એ શું? કોની પાસે છે? કેવીરીતે મેળવાય છે? કવિ આવા પ્રશ્નો પૂછે છે. અને કાવ્ય્બાનીમાં તે વિષે ઉચ્ચારે છે.લિયુના કાવ્ય ” જેલમાં એક ઉંદર” જેમાં આપણને સ્વતંત્રતાના વિવિધ રંગો/પાસાં વાંચવા મળે છે.સ્વતંત્રતા અનુભવ છે, સંવેદન છે, નિર્વાણ છે.
ઉંદરિયું, ઉંદર માટે જેલ છે, તે આ કવિનો મેટાફોરિક અનુભવ છે ખોવાયેલી સ્વતંત્રત માટે.કવિને તેનો ઉદવેગ છે, અને આપણને વાંચક તરીકે તે પકડમાં જકડાઈ ગયેલા માણસનો અનુભવ કરાવે છે.
જ્યાં કવિ પૂરાયો છે તે જગ્યા કેવી છે-ઉખડતી ભીંતો,લોહી સંતૃપ્ત મચ્છરો વાળી. જેલના વાતાવરણનું આ ચિત્ર-કે ઉદાહરણ.-માણસે માણસ માટે રચેલી પરિસ્થિતિનો તીવ્રતાથી ઓળ્ખ અને વિરોધ બન્ને એક સાથે રચી આપે છે. લોહી સંતૃપ્ત મચ્છરો સરમુખત્યારી છે.! તો ચાંદનીમાં રસળતો કવિ-કે માણસ.-નર્વાણનુ સૂચન છે,શરીર અહીં છે આત્મા દૂર દૂર વિહરે છે.ઉર્ધ્વગામી મુક્તિ માટે.
આ બળવો પોકારતો કવિ કવિતાથી લાગણી અને સંવેદન કે અનુભૂતિ વિશે બોલે છે.ચાંદનીમાં વિહરવાની વાતથી આત્મ મુક્તિની વાત છે ,સંપૂર્ણ સ્વતંત્રતા વિશે આ માનવ ઉદગાર છે.જેલની ભીંતો પર પછાડેલા શબ્દો
મરતા નથી આકાશવાણી થઈ જાય છે.


કોઇ કાવ્ય સંગ્રહમાં લખવી બાકી રહેલી પ્રસ્તાવના

January 12, 2011

[બે કાવ્યો-એક મારું બીજો અનુવાદ]
૧]
શબ્દો ભરેલી શેરીઓમાં
મારી હયાતી અને ભવિષ્ય શ્રધ્ધાપૂર્વક બેઠાં છે.
લુચ્ચાઈ અને વિશ્વાસઘાત
લટકી રહેવા ઇપ્સ્યા કરશે ત્યારે
પેલો બાહ્યતર
એ ગૂઢ કડવાશ પાન-બીડીમાં ચાવી ફૂંકી નાખશે.
તમારી ચિત્રાત્મક સંસ્મૃતિમાં
સંઘરી રાખજો,
આ બધી ગલીકૂંચીઓ ઉઘડશે
અને તેમાંથી નવ્ય કવિતા મુક્ત પણે વિહરશે
એક સ્વ્સ્થ કાવ્ય સંસ્કૃતિ ઘડવાઃ
હું આ ધરતીની ખવાઉ એકલતાથી જીવું છું.
૧૨-૨૯-૨૦૧૦

૨] યુવાન કવિઓને

લખો
સ્વેચ્છાએ
તમને ગમતી શૈલીમાં
અત્યંત લોહી વહી ગયું છે ભૂસ્તરોમાં
એવું માન્યા કરવા
કે એક જ માર્ગ સાચો છે.
કાવ્યમાં બધી જ છૂટ છે.
કેવળ આ શરતે,
તમારે કોરું પાનું કેળવવું પડશે.

[નિકેનોર પારા,ચિલે સૌજન્ય PoemHunter.com]
૧-૮-૨૦૧૧


ચાલ મન

October 20, 2010

વૃક્ષ કદાચ એમ પણ કહે-
‘ મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું’
કોયલ કદાચ આગ્રહ રાખે-
‘ કોઈ સરસ જગ્યા જોઈ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુંકો મૂકું.’
થોડાક પૈસા મળે તો
નદી પોતાનું બધું પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !
( તલાશ,૧૯૮૦,પૃ.૫૩)
વિપિન પરીખ ( મૃત્યુ-ઓક્ટો.૨૦૧૦)
કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે ત્રણ દિવસ પહેલા મુંબઈમાં અવસાન પામ્યા.
lets go my soul
tree may say
‘ first serve me breakfast
then i provide shade.’

cuckoo would insist
‘ build me a beautiful apartment
then i sing.’

for a few dollars more, do not be surprise
river may empty its water
on the opposite bank.

lets go my soul
to a place
where we do not bribe
the sun for sunlight !
10-1-2010
tr. himanshu patel


ત્રણ કાવ્યો

September 14, 2010

૧) —

ક્લોઝેટમાં
ઊનવાળા કપડાં પર
હુંફાળી ઠંડી લટકે છે.
કપાળે ભીનો તાવ
ટકોરા મારે છે.
ઓરડો ટાઢો પડી ગયો છે,
બંધ આંખોમાં બેઠેલી નિર્જીવતાથી.
તારા જોવામાં અંધારાં હતા….
કપાળમાં ઊઘડેલા દરવાજામાંથી
બળેલા હાંડકાં હજું થરથર્યા કરે છેઃ
જેમ બીડીને વળગી રહેલી ધુમ્રસેર. ૯-૧૦-૨૦૧૦

૨) ઉનાળુ અસહાયતા

ઉનાળો
વાણિયામાં ગણગણતો
ઉડાઉડ કરતો’તો.
વિશાળ આરડતા અમેરિકન દેડકામાંથી
ખાંડવી જેવી વાળેલી જીભ
લપકી.
બણબણતો ઉનાળો, ચૂપઃ
ઘાસ અચાનક પીળું પડી ગયું,
આપણે કશું કરી શકતા નથી…. ૯-૧૧-૨૦૧૦

૩) મૃત્યુપર્વ

હાથમાં
અણીદાર ધર્મ ઉગે છે.
મારી વેદનાએ ઘસાયેલું અસ્તિત્વ
સતત ઊભૂં રાખું છું,
મૃત્યુના હાઉને કિનારે.
જન્મમાંથી આ વફાદારી,આવડત
મારાંમાં કોચલા સમ ગંઠાઇ હતી.
કેફેમાં એ બાબતે
પેટ છૂટી વાતો કરી હતી.
મારામાંથી વછૂટેલી જીર્ણતાથી મેં ઇશ્વર શોધ્યો’તોઃ
મૃત સાથી સૈનિકને ભૂલી
પ્રતિકારમાં ગોળીબાર કરતા સૈનિકના મનોયત્નથી…૯-૧૨-૨૦૧૦

પહેલા કાવ્યનો અંગ્રેજી અનુવાદઃ-
in a closet
cozy winter is hanging
on woolly clothes.
wet fever
is knocking on the forehead.
room turned cold
with the stillness of your closed eyes.
black out was in your look….staring.
from an open door in the forehead,
burnt bones were trembling:
like a streak of smoke on a cigar. 9-13-2010


મન

September 4, 2010

કોઇ મારામાં રહી પતંગિયા માફક ઊડાઊડ કરી ગલગલિયાં કરી રહ્યું છે,
અને કેટકેટલી સુંવાળી કલ્પનાથી સ્પર્શી રહ્યું છે મને.
તો વળી કદી કાંચિડાની જેમ
સતત રંગ બદલી મને ય એ રંગે રંગી રહ્યું છે.
એ કરોળિયાની જેમ અંત વગરનાં જાળાં બાંધ્યાં કરે છે,
અને હું શિકાર પામેલા જીવડાની જેમ
એ જાળામાં ગુંચવાતી રહું છું.

એ કદી સુખની સીમાની પાર લઇ જાય છે,
તો કદી દુ:ખના ડુંગરો ખડકી દે છે.
પારદર્શી પરપોટાની જેમ પકડી શકતી નથી
કે બાંધી શકતી નથી એને.
અનુભવું છું પણ હવાના ઝોલાની જેમ
પસાર થઇ જાય છે મારામાંથી,
મારાથી ય અજાણ બનીને.
ક્ષણે ક્ષણે દોર ખેંચીને કઠપૂતળીની જેમ સતત નચાવે છે મને એ.
કોણ પૂર્ણત: સમજી શક્યું છે હજી એને, કોણ ???

-ધૃતિ મોદી

(http://aasvad.wordpress.comના સૌજન્યથી)

September 2, 2010 at 7:50 am · Filed under અછાંદસ, ધૃતિ મોદી

Mind         Dhruti  Mody

Someone from inside

Tickles me, flying like butterflies,

And feels with many silky imaginations.

Painting me

With the changing colors of a chameleon.

It keeps weaving an endless cobweb

And like an insect

I am entangled in it.

Either it carries me beyond happiness

Or it piles up a mountain of misery.

I can not hold or enclose it

Like a transparent bubble.

I feel it, like a gust,

Passes by me as a stranger,

Every second it makes me dance like a puppet.

Who has understood it thoroughly, who???

અનુઃ હિમાન્શુ પટેલ ,9-3-2010.


આંટીઘૂંટી

August 18, 2010

આ  ઍટોમિક સૂર્ય
વૃક્ષમાં
લીલુંકચ આથમી ગયોઃ
પછી ગાયત્રી ઓમકાર
માણસમાં
જટાયુના છેલ્લા ચિત્કાર જેવો….જેટલો
શ્વાસનળીમાં
ગૂંગળાયા કર્યો -
ગઈકાલે આથમેલો સૂર્ય જ
ફરીથી દેખાયો કે બદલાયેલો હતો;
સમજણ લોહિયાળ ઘટક છે.
૮-૧૪-૨૦૧૦
ન્યુ જર્સી

this atomic sun -
set green
into a tree:
later humming of Om
suffocated in the trachea
like the shrill of Jatayu -
sun-
set yesterday
rises the same or has changed ?!
understanding is a bloody element.
8-18-2010


કોઇ અન્ય વિશે લખે છે (અસ્વાદ-અનુવાદ)

July 17, 2010

સંપૂર્ણ પણે મારું પોતાનું તો
કશું નથી.

મારા મા-બાપે પણ
કશું અનુલ્લેખ રાખ્યું હતું
નાનકડા વાવંટોળમાં
ઊગતા સૂર્ય કિરણોના
ચળકતા સપાટા હેઠળ.

અને અમારી વચ્ચે
લોહીના સંબંધો અને તારાઓ સિવાય કશુંય નથી
જે અમને અન-અંત સપડાવી
મિશ્રક સમ
એના ભરડામાં લે છે.

Someone writes about another

I have nothing whole
of my own.

Even my parents
in a way silence something
in small vortices of air
under bladestrokes
of suns rising to shine.

And between us there is nothing but
a great cycle of blood and stars
that traps us without end
in its turning, like a
blender.

Shimon Adaf
(Israel, 1972)
અદાફથી અન્ય સુધી…એક કાવ્ય અભિપ્રાય
ઇઝરાયલના યુવા કવિઓમાં છેલ્લા દશ વર્ષમાં જેનું નામ સર્જનક્ષેત્રે પ્રતિભા સંપન્ન  સર્જક સ્વરૂપે ચર્ચાયું છે, તે શિમોન અદાફ સીધું પોતાને વિશે, પોતાના મા બાપ વિશે અને જે શહેરમાંથી તે આવ્યો છે તે ના વિશે, નિખાલસતા પૂર્વક લખે છે, એમાં કોઈ છોછ
નથી.૬૦ના દાયકામાં ઉદભવેલું કન્ફેશનાલીઝમ યાદ કરાવે છે.કાવ્યની પ્રથમ પંક્તિની એ નિખાલસતા-સંપૂર્ણ પણે મારું તો / કશું જ નથી-. આ મટીરીઆલિસ્ટિક વિશ્વમાં જ્યારે કવિ આવું વિધાન કરે ત્યારે વાંચનારના મનમાં તરત પ્રશ્ન અને અચરજ બન્નેવ ઉપસાવે છે , શા માટે એનું પોતાનું કશું નથી? કે શા માટે એનું ઉપાર્જીત હવા છતાં એનું કશું નથી? તો પછી એની પાસે છે શું? એનું પોતાનું કહેવા ! અને કવિ છે તેથી આ “”સંપૂર્ણપણે” છે , તે શું છે? આ વિટંબણા માણસ માત્રની છે, અને જન્મજાત છેઃ શિમોન
અદાફે લખ્યું છે તેવું જ પણ જૂદા શબ્દમાં લગભગ સવાસો વર્ષ પહેલાં અન્ય હિબ્રુ કવિ, શોલ ચેરનીકૉવસ્કીઍ લખ્યું હતું “મારૂ પોતાનું કહેવા મારી પાસે કશું જ નથી “આ કે આવી અભિવ્યક્તિ હિબ્રુ કાવ્ય્ની એકલાની કાવ્યબાની નથી. બીજે ક્યાંક થીયોડેર ઍંગ્લોપૌલાસ -ફિલ્મ દિગદર્શકે એના ” હું મુલાકાતિ છું” કાવ્યમાં લખે છેઃ
હમેશા કોઇક તો હશે જ
કહેવા કે
આ મારું છે.
હું-મારી પાસે મારું પોતાનું કશુંય નથી
મેં એક વખત તોછડાઇ પૂર્વક કહ્યું હતું.
હવે મને સમજાયું કે કશું નહી અર્થાત
કશું નહી.
કે તમારું નામ પણ પોતાનું નથી.
અને અવારનવાર તમારે એક ઉછીતું લેવું પડે.
અદાફ કેવળ પોતાને વિશે જ નહીં, મા-બાપ વિશે પણ, પોતાને વિશે કહે છે તેવું જ એક વાક્યમાં કહી દે છેઃ અનુલ્લેખ રાખ્યું હતું …” આ ચૂપકીદી તો પરંપરાથી ચાલી આવતી અનૂભૂતિ છે. આ જડવાદ અને આધ્યાત્મિક મૂલ્યો વચ્ચેનો વિગ્રહ છે, તે સ્થિતિ તરફ નિર્દેશ કરતી ભાષા છે. કદાચ  આપણને એટલે જ કહેવાયું છે-ત્યેન ત્યક્તેન ભૂંજીથા.
બીજી તરફ કદાચ આવિ સ્થિતિ એવા મા-બાપ માટે પણ ઉદભવે છે, જે સ્થળાંતર કરે છે.અને એમની માતૃભાષાથી દૂર જતા રહે છે, જ્યારે સ્વભાષા સીવાય બીજી ભાષામાં વિચારવું સહેલું નથી રહેતું. એવી પરિસ્થિતમાં અભિવ્યક્ત કરવાની શક્તિ હણાઇ જાય છે, અને કેવળ ચૂપકીદી અથડાય છે. કે પછી આવનારી પેઢી વિશે કહેવા એમની પાસે ભાષા નથી? કે બીજા પ્રદેશમાં પગ મૂકતા જ અનઅભિવ્ય્ક્તિ એમનો માનવસ્વભાવ થઈ જાય છે?  એટલે કશું અનુલ્લેખ રહી અથવા થઈ ગયું હતું ! યેનકેન શબ્દોની ગેરહાજરી માં આપણે ગુપ્તતામાં નિર્વાસિત થઈએ છીએ. કવિના મા-બાપની હાજરી કેવળ એકાકી નથી, એને કવિનું હોવું મા-બાપ ઉજ્જડ નથી એટલું જ સૂચવે છે. શું ભાષા પણ આપણા માટે આવું કર્મ કરે છે ? ઉપનિષદ કારે ત્યાગ કરી ભોગવ કહ્યું ત્યારે શું અભિપ્રેત હતું?આપણે કેટલું છોડી દેવું પડશે, કોઇ આપણી પાસે સાવ અલ્પ કે અપૂર્ણ છેતેનો અનાદર કરે તે પહેલા !! ગીતામાં કહ્યું છે “ઉપાય વગરના વિષયનો શોક ના કરીશ “
અદાફ પણ  આ કાવ્યમાં એક વિધાન એવું કરે છે,” લોહીના સંબંધો અને તારાઓ સિવાય કશું ય નથી.”  આપણે આ ઉપાય વગરના સંબંધ કે જટિલ વ્યવસ્થા, જે શરૂમાં અવ્યક્ત  છે, મધ્ય્માં વ્યક્ત છે ( ! ), અંતે ફરી અવ્યક્ત થઈ જાય છે, અર્થાત એમાં પૂર્ણતાનો અભાવ છે, તેના જ એક ભાગ છીએ આપણે, અને આ બધું આ રીતે જ રહેશે. ઇશ્વરે આ વિષયો પ્રત્યે ચિંતામય કે શોકાતૂર ન થવું એવું જણાવ્યું ત્યારે પ્રશ્ન થાય કે  આ -પૂર્ણતા- ઇશ્વર માટે ( અને મા-બાપ માટે પણ !) અલાયદી રાખવી ?જે જાણે છે કે એનું શું કરવું. તો પછી માણસે શું કરવું? અસહાય અને અજ્ઞાત ! કે આ વિટંબણામાં પેલા મિશ્રકમાં બધું
ભરડાય તેમ ભરડાતા માણસે !કવિતો એટલું જ કહે છે કવિતા વાંચો અને વિચારમાં ચક્કર કાપ્યા કરો ! કે પછી અમેરિકન કવયિત્રિ લુઇસ ગ્લિક એના ” પરિવર્તનશીલ વિશ્વ” ( મ્યુટેબલ અર્થ) કાવ્યમાં કહે છે તેમ-
મે મને કહ્યું
મારી પાસે કશું ન હોય
તો વિશ્વ મને સ્પર્શી શકશે નહીં
…કશું ન હતું મારું
અને છતાં હું પરિવર્તિત.
માણસ હોવું એટલે જ અસહાય અન્યતર, તો પછી અસ્તિત્વ કેવી રીતે સત્વ પહેલાં ?
may-2009


Follow

Get every new post delivered to your Inbox.

Join 27 other followers